- ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે.
- ભારતના પ્રાચીન ગ્રંથ 'વિષ્ણુપુરાણ' માં ભારત વિશે કહેવાયું છે કે, સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારતવર્ષ છે.
- આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ
. - આ આદાન-પ્રદાનની પ્રક્રિયા દ્વારા આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો
.
સંસ્કૃતિનો અર્થ
- સંસ્કૃતિ એટલે ‘જીવન જીવવાની રીત’
. તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર-વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય . - ભારતીય સંસ્કૃતિનો વારસો
- વારસો એટલે આપણને આપણાં પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ
. - ભારતના આ વારસાને મુખ્ય બે વિભાગોમાં વહેંચીને સમજી શકાય છે
:
ભારતનો પ્રાકૃતિક વારસો
ભારતનો સાંસ્કૃતિક વારસો
ભારતનો પ્રાકૃતિક વારસો
પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવજીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ
| ક્રમ | બાબતો | મહત્વ |
|---|---|---|
| 1. | ભૂમિદૃશ્યો (Landscapes) | હિમાલયમાં ઉપયોગી વનસ્પતિ, ખનીજો, અને તરાઈનાં જંગલો આવેલાં છે. |
| 2. | નદીઓ (Rivers) | ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. નદીઓને ‘લોકમાતા’નું બહુમાન અપાયું છે. |
| 3. | વનસ્પતિજીવન | ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા થાય છે. હરડે, આંબળા, લીમડો જેવી ઔષધિઓ જીવનને સમૃદ્ધ બનાવે છે. |
| 4. | વન્યજીવન (Wild Life) | વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરનાં જંગલોમાં જોવા મળે છે. |
ભારતનો સાંસ્કૃતિક વારસો
સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો
આર્યોથી શરૂ કરીને શકો, ક્ષત્રપ, કુષાણ, મુઘલ, અંગ્રેજો વગેરે જેવી
વિવિધ જાતિઓ ભારતમાં આવી અને આદાન-પ્રદાનથી સંસ્કૃતિ સમૃદ્ધ બની
. શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે
. સાંસ્કૃતિક વારસામાં
મંદિરો, શિલાલેખો, સ્તૂપો, મકબરા, કિલ્લાઓ, રાજમહેલો, દાંડી, સાબરમતી આશ્રમ વગેરેનો સમાવેશ થાય છે
. શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, વાસ્તુશાસ્ત્ર જેવી ઘણી મહત્ત્વની શોધો પણ ભારતમાં થઈ છે
.
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (મુખ્ય સ્થળો):
પુરાતત્ત્વીય સ્થળો: લોથલ (ધોળકા), રંગપુર (લીમડી), ધોળાવીરા (કચ્છ), રોઝડી (રાજકોટ)
. ઐતિહાસિક સ્મારકો: વડનગરનું કીર્તિ તોરણ, જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ
, મોઢેરાનું સૂર્યમંદિર, સિદ્ધપુરનો રૂદ્ર મહાલય, અમદાવાદમાં ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી
. ધાર્મિક સ્થાનો: દ્વારકાધીશ મંદિર, સોમનાથ મંદિર (12 જ્યોતિર્લિંગો પૈકીનું)
, અંબાજી, બહુચરાજી, ડાકોર . બૌદ્ધ/જૈન સ્થળો: વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, પાલીતાણા (જૈન)